કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં 3 ગુજરાતી સહિત 26ના મોત
કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં 3 ગુજરાતી સહિત 26ના મોત
Blog Article
કાશ્મીરના પહેલગામ શહેર નજીક એક લોકપ્રિય પર્યટન સ્થળ પર મંગળવારે બપોરે ત્રાસવાદીઓ કરેલા ઘાતક હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા હતાં. મૃતકોમાંથી 3 ગુજરાતના હતાં. હુમલામાં યતીશભાઈ સુધીરભાઈ પરમાર (પિતા) સ્મિત યતીશભાઈ પરમાર (પુત્ર)નું મોત નીપજ્યું હતું. તેઓ ભાવનગરના કાળીયાબીડના રહેવાસી હતાં જ્યારે મંગળવારે સુરતના શૈલેશભાઈ હિંમતભાઈ કળથીયાનું મોત નીપજ્યું હતું.
હુમલામાં ભારતીય નૌકાદળના એક અધિકારી અને ગુપ્તચર બ્યુરોના એક કર્મચારી પણ માર્યા ગયા હતા.આ ઘટના બૈસરનમાં બની હતી, જેને તેના ઘાસના મેદાનો અને મનોહર દૃશ્યો માટે “મીની સ્વિટ્ઝર્લૅન્ડ” તરીકે ઓળખવામાં આવે છે.
આ હુમલો 2019ના પુલવામા હુમલા પછી કાશ્મીર ખીણમાં સૌથી ઘાતક હુમલો હતો અને વિશ્વભરના નેતાઓએ તેની આકરી ટીકા કરી હતી.